Friday, November 22, 2024

તાનારીરી એવોર્ડ 2024

 

   👉   ઉત્તર ગુજરાતના વડનગરની ધરતી પરથી બે નાગર કન્યાઓ તાના-રીરીએ સંગીતની આકરી આરાધનાથી રાગ રાગિણીની વિરાસત દુનિયાને આપી છે.

   👉  પોતાની કલાના સન્માન ખાતર આત્મબલિદાન આપનારી આ કળાધારિણી બેલડીની સ્મૃતિમાં વડનગરમાં તાના- રીરી મહોત્સવ ઉજવાય છે.

    👉  સંગીતની આવી ભવ્ય વિરાસત વિશ્વ સમક્ષ ઉજાગર કરવા વડનગરની ધરતીના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૦૩થી પ્રતિ વર્ષ આ મહોત્સવ ઉજવવામાં આવે છે.

   👉  ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ ૨૦૧૦થી તેમણે સિદ્ધહસ્ત શાસ્ત્રીય મહિલા ગાયકો-સંગીતજ્ઞોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરાવી છે.

    👉   આ ગૌરવ સન્માન એવોર્ડ અંતર્ગત મહારાષ્ટ્રના વિદુષી પદમા સુરેશ તલવાલકર અને અમદાવાદના ડૉ. શ્રીમતી પ્રદિપ્તા ગાંગુલી પ્રત્યેકને રૂ.૨.૫૦ લાખની પુરસ્કાર રાશિ, તામ્રપત્ર તથા એવોર્ડ મુખ્યમંત્રીશ્રીએ એનાયત કર્યા હતા.

   👉   2010માં પ્રથમ વર્ષે રાષ્ટ્રકક્ષાનો આ એવોર્ડ ખ્યાતનામ સંગીત બેલડી લતા અને ઉષા મંગેશકરને એનાયત કરવામાં આવ્યો હતો.

No comments:

Post a Comment

🗞️📰 Current affairs 🗞️📰

 1. राजस्थान की दो आर्द्रभूमियों को शामिल करने के बाद भारत में रामसर स्थलों की संख्या 91 हो गई है। After the inclusion of two wetlands from ...