🥕કોઈપણ ઋતુમાં સ્વસ્થ રહેવાનો સૌથી સરળ રસ્તો એ છે કે તે ઋતુના ફળો અને શાકભાજી ખાવા. જો તમે તે સિઝનના સુપરફૂડ ખાતા હોવ તો તમારી આસપાસના વિસ્તારમાં બીમારીઓ ફેલાશે નહીં. ગાજર શિયાળાનું આવું જ એક સુપરફૂડ છે.
તે મૂળ શાકભાજી છે, જે સૌપ્રથમ અફઘાનિસ્તાનમાં 900 એડી આસપાસ ઉગાડવામાં આવી હતી. નારંગી રંગના ગાજર સામાન્ય
રીતે ઘરો, બજારો અને પુસ્તકોમાં જોવા મળે છે. જોકે તે જાંબલી, પીળો, લાલ અને સફેદ જેવા ઘણા રંગોમાં આવે છે.
શરૂઆતના દિવસોમાં ગાજર જાંબલી કે પીળા રંગના હતા. નારંગી
ગાજર મધ્ય પૂર્વમાં 15મી કે 16મી સદીની આસપાસ વિકસાવવામાં આવ્યા હતા.
ગાજરમાં વિટામીન A, C અને K ભરપૂર માત્રામાં હોય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ અને કોપર જેવા જરૂરી મિનરલ્સ હોય છે. આ સિવાય તે ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સનો પણ સારો સ્ત્રોત છે. તેને રોજ ખાવાથી આંખોની રોશની સુધરે છે, કેન્સરનું જોખમ ઓછું થાય છે અને વજન નિયંત્રણમાં પણ મદદ મળે છે.ગાજર ખૂબ જ ફાયદાકારક છે ગાજર એક એવી શાકભાજી છે જેમાં ખૂબ જ ઓછી કેલરી અને ખૂબ જ ઉચ્ચ પોષક મૂલ્ય હોય છે. આવશ્યક વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ્સની હાજરીને કારણે, તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેના વિશેષ પોષણ મૂલ્યને કારણે, તેના સેવનથી હૃદય, કિડની અને લીવરનું સ્વાસ્થ્ય સારું રહે છે.
પ્રશ્ન: શું આપણે દરરોજ ગાજર ખાઈ શકીએ? જવાબ: હા, તમે તેને ચોક્કસ ખાઈ શકો છો. દરરોજ એક ગાજર ખાવાથી શરીર માટે જરૂરી ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. જો કે, ગાજરમાં બીટા કેરોટીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી ઘણા બધા ગાજર ખાવાનું ચાલુ રાખે છે, તો તેને કેરોટેનેમિયા થઈ શકે છે. આમાં ત્વચાનો રંગ કેસરી અથવા પીળો થઈ જાય છે. તેથી, એક સાથે ઘણા બધા ગાજર ન ખાઓ.
પ્રશ્ન: દરરોજ કેટલા ગાજર ખાવા જોઈએ? જવાબ: એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિએ દિવસમાં 1-2 ગાજર ખાવા જોઈએ. બાળકો દિવસમાં એક ગાજર ખાઈ શકે છે. આ કારણ છે કે એક ગાજરનું વજન આશરે 125 ગ્રામથી 200 ગ્રામ જેટલું હોય છે. જો દરરોજ એક 125 ગ્રામ ગાજર ખાવામાં આવે તો તે વિટામિન A ની આપણી દૈનિક જરૂરિયાતના 100% કરતાં વધુ પ્રદાન કરે છે.
રોજ વધુ પડતા ગાજર ખાવાથી વાળ ખરવા, હોઠ ફાટવા, ડ્રાય સ્કિન અને હાડકાં નબળા પડવાં જેવી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. આનાથી લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધી શકે છે, જે આઇડિયોપેથિક ઇન્ટ્રાક્રેનિયલ હાઇપરટેન્શન જેવી સ્થિતિ તરફ દોરી શકે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે મગજની આસપાસ ખૂબ દબાણ વધે છે.
પ્રશ્ન: ગાજરને કાચા ખાવાથી ફાયદો થાય છે કે રાંધીને? જવાબ:
અમુક શાકભાજી કાચા અને રાંધેલા બંને રીતે ખાઈ શકાય છે. ગાજર આ શાકભાજીમાંથી એક છે. જો કાચું ખાવામાં આવે તો પણ પેટ તેને સરળતાથી પચાવી શકે છે. તેને હેલ્ધી બ્રેકફાસ્ટ અથવા નાસ્તામાં ખાઈ શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર પણ હોય છે, જેનાથી કબજિયાત થતી નથી.
જો ગાજરને રાંધીને ખાવામાં આવે તો તે બીટા કેરોટીનને શોષવામાં સરળ બને છે અને જો તે ઈન્ફેકશનનું જોખમ પણ ઘટાડી શકે છે.
પ્રશ્ન: શું ગાજર રાંધવાથી તેના પોષક તત્વોનો નાશ થાય છે?
જવાબ: ના, ગાજરને રાંધવાથી તેના પોષક તત્વોમાં ખાસ ફરક પડતો નથી. જો ગાજરને વધુ લાંબો સમય રાંધવામાં આવે તો તેની એન્ટિઓક્સિડન્ટ એક્ટિવીટી અને વિટામિન C ઘટી શકે છે.
માત્ર ગાજરને ઉકાળવાથી અથવા તેને ધીમી આંચ પર રાંધવાથી તેના પોષણમાં બહુ ફરક પડતો નથી, તેનાથી વિપરીત, આપણા શરીર માટે તેમાં રહેલા પોષક તત્વોને શોષવામાં સરળતા રહે છે.
પ્રશ્ન: શું ગાજર ખાવાથી કોઈ એલર્જી થઈ શકે છે? જવાબ: હા, પોલોની-ફૂડ એલર્જી સિન્ડ્રોમ ધરાવતા લોકોને ગાજર ખાધા પછી એલર્જી થઈ શકે છે. આ સિન્ડ્રોમમાં વ્યક્તિને કેટલાક કાચા ફળો, બદામ અને શાકભાજીની પ્રતિક્રિયા હોય છે. જેના કારણે ગળા, મોં અને કાનમાં ખંજવાળની સાથે સોજો પણ આવે છે. જો તમને ગાજર ખાધા પછી આવા કોઈ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
પ્રશ્ન: શું ગાજરથી કોઈ નુકસાન થાય છે? જવાબ: સામાન્ય રીતે ગાજર ખાવાથી કોઈ આડઅસર થતી નથી. જો કે, સળંગ ઘણા દિવસો સુધી વધુ પડતાં ગાજર ખાવામાં આવે તો સ્કિન યલો અથવા ઓરેજ થઈ શકે છે. વધુ પડતાં ગાજર ખાવાથી પણ પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, એલર્જીક પ્રતિક્રિયાઓ જોવા મળે છે. જો કોઈ આડઅસર દેખાય તો ગાજર ખાવાનું બંધ કરો અને ડૉક્ટરની સલાહ લો.
ગાજરનું પોષણ મૂલ્ય શું છે? ગાજરમાં 86% થી 95% પાણી
હોય છે. બાકીના 10% કાર્બોહાઇડ્રેટ્સ ધરાવે છે. ગાજરમાં પ્રોટીન અને ચરબી પણ હોય છે, પરંતુ તેની માત્રા ઘણી ઓછી હોય છે.🥕

